Type Here to Get Search Results !

સિંધુ સભ્યતાનાં મહત્વનાં સ્થળો, રંગપુર, લોથલ, ધોળાવીરા, દેશલપર, રોજડી (શ્રીનાથગઢ)

 Sindhu sabhyata na mahatvana sthalo : સિંધુ સભ્યતાનાં મહત્વનાં સ્થળો, રંગપુર, લોથલ, લોથલમાંથી મળી આવેલ અવશેષ, લોથલની વિશેષતાઓ, ધોળાવીરા, ધોળાવીરા નગરરચના, દેશલપર, પ્રભાસ પાટણ (ગીર સોમનાથ), રોજડી (શ્રીનાથગઢ) આ તમામ સ્થળો વિશે વિસ્તૃત માહિતી મેળવી શું.

Sindhu sabhyata na mahatvana sthalo : સિંધુ સભ્યતાનાં મહત્વનાં સ્થળો, રંગપુર, લોથલ, લોથલમાંથી મળી આવેલ અવશેષ, લોથલની વિશેષતાઓ, ધોળાવીરા, ધોળાવીરા નગરરચના, દેશલપર, પ્રભાસ પાટણ (ગીર સોમનાથ), રોજડી (શ્રીનાથગઢ)

સિંધુ સભ્યતાનાં મહત્વનાં સ્થળો

રંગપુર (1931)

રંગપુર ગુજરાતમાંથી મળેલું પ્રથમ સિંધુ સભ્યતાનું સ્થળ છે. 1953-54માં એસ.આર.રાવે રંગપુરનું સંશોધન કર્યુ હતું. રંગપુર ભાદર નદીનાં કાંઠા પર આવેલી નાની વસાહત છે. આ સ્થળનાં ઉત્ખનનકર્તા માઘોસ્વરૂપ વત્સ છે. રંગપુરમાંથી ઉત્ખનન દરમિયાન કાચી ઈંટોનાં મકાન મળ્યાં છે. રંગપુર હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલું છે.

લોથલ

સ્થાન : અમદાવાદનાં ધોળકામાં ભોગાવો-સાબરમતી વચ્ચેના પ્રદેશમાં.

લોથલ નામમાં ‘લોથ' શબ્દનો તળપદી ગુજરાતી ભાષામાં લાશ’ એવો અર્થ થાય છે. અર્થાત “મરેલાનો ટેકરો” એવો થાય છે. લોથલમાં ઈ.સ.પૂ. 2450ની આસપાસ હડપ્પીય પ્રજા આવીને વસી હશે અને ઈ.સ.પૂ. 1750ની આસપાસ લુપ્ત થઇ ગઇ હશે એવું માનવામાં આવે છે. લોથલની શોધ 1954-55માં એસ. આર. રાવ દ્વારા થઈ. લોથલ એ ‘સિંધુ સભ્યતામાં સૌથી મોટું બંદર હતું.

લોથલમાંથી મળી આવેલ અવશેષ

ડોકયાર્ડ, મણકાની ફેક્ટરી, હોકાયંત્ર, માપપટ્ટી, જોડિયા કબર, જે સતીપ્રથાનો પુરાવો માનવામાં આવે છે. અન્નની વખારો, પથ્થરની ઘંટી, યજ્ઞ કરવાના કુંડ

લોથલની વિશેષતાઓ

લોથલ નગરની અગ્નિ દિશામાં ઉપરકોટ આવેલ હતો. જેમાં સામસામી બે હારોમાં કુલ 64 વખારો મળી આવી. વહાણ લાંગરવા માટેનો ધક્કો એ લોથલની વિશિષ્ટતા છે. આ ધક્કામાં 650 કિવન્ટલ વજનનાં વહાણો આવી શકતા હતાં. લોથલમાંથી બારીક છિદ્રોવાળા સોનાના મણકા મળી આવ્યા. જે બીજે ક્યાંયથી મળ્યા નથી. ગોરીલાની ટેરાકોટાની મૂર્તિ, લોથલમાંથી પથ્થરની ઘંટી મળી આવી જે સૌરાષ્ટ્રના ચૂનેરી પથ્થરોમાંથી બનાવવામાં આવતી હતી.

ધોળાવીરા

ધોળાવીરાની પહેલી વહેલી શોધ ઇ.સ. 1960માં થઈ હતી. ધોળાવીરા ભુજથી લગભગ 140 કિમી. દૂર ભચાઉ તાલુકાના મોટા રણનાં ખદીરબેટમાં આવેલું છે. અહીંથી હડપ્પીય સંસ્કૃતિનું જ સમકાલીન મોટું, વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળી આવ્યું. ધોળાવીરા એ સિંધુ સભ્યતાનું એક વિશિષ્ટ નગર છે. કારણ કે તેનાં નગરમાં ત્રણ સ્તરની નગરરચના મળી આવી છે.

  1. શાસક અધિકારીઓનો ગઢ
  2. અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર
  3. ગુજરાતની સૌથી મોટી હડપ્પીય સભ્યતાની સાઈટ છે.

એમાં શાસક અધિકારીઓના ગઢ ઊંચાઈ પર અને મજબૂત દીવાલોથી સુરક્ષિત જણાય છે. ધોળાવીરાની આ વસાહત ઉત્તર–દક્ષિણ 600 મીટર અને પૂર્વ-પશ્ચિમ 77 મીટરના ઘેરાવામાં ક્લાયેલી છે. લગભગ 12 મીટર ઊંચી દીવાલોની કિલ્લેબંધી ધરાવે છે. નગરની મધ્યમાંથી રાજમહેલના અવશેષ પ્રાપ્ત થયા છે. ધોળાવીરાનું ઉત્ખનન કાર્ય ઇ.સ.1990–91માં પુરાતત્ત્વવિદ્ રવીન્દ્રસિંહ બિષ્ટ અને ગતપતિ જોષીનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. ધોળાવીરામાંથી સ્નાનાગર, રમતગમતનું મેદાન, તાંબાંને છૂટું પાડવાની ભઠ્ઠી, ધાતુની બંગડીઓ, સોનાનાં આભૂષણો, પકવેલી માટીનાં દાંતિયાઓ તથા 26 ચિહોનો અભિલેખ મળ્યા છે. આમ, આ બધા અવશેષોને આધારે એમ કહી શકાય કે ધોળાવીરા વેપાર- વાણિજ્યનું એક સુખીસંપન્ન કેન્દ્ર હશે. તેનો સમયગાળો ઈ.સ.પૂ. 2500 થી ઇ.સ.પૂ. 1900 સુધીનો માનવામાં આવે છે. હડપ્પા (સિંધ) સંરકૃતિમાં મળી આવેલા લેખોની લિપિ હજી સુધી ઓળખાઈ નથી.

દેશલપર

આ વસાહત કરછનાં નખત્રણા તાલુકામાં મોરાઇ નદીના કાંઠે વિકાસ પામી હતી એવા અવશેષ મળી આવ્યા છે. અહીં નદી કિનારે પૂરપ્રકોપથી બચવા માટે પથ્થરની જાડી દીવાલ બંધાઈ હોવાના પુરાવા મળી આવ્યા છે. અહીં કાચી ઈંટોના મકાન, સિંધુ તોલા, મુદ્રાઓ, મુદ્રાંક વગેરે મળી આવ્યાં છે. તાંબાનાં ઓજારો, વિવિધ પદાર્થોનાં મણકા મળી આવ્યા છે. આ વસાહતનો વિનાશ ઇ.સ .પૂ. 1950ના સમયગાળામાં પૂરનાં લીધે થયો હોવાનું મનાય છે.

પ્રભાસ પાટણ (ગીર સોમનાથ)

અહીંથી સિંધુ સભ્યતાના વસાહતોનાં બે સ્તર મળી આવ્યાં છે. અહીંના નિવાસીઓ રાખોડિયા મૃદપાત્ર વાપરતાં હોવાન અવશેષો મળ્યા છે. અહીંથી મળી આવેલ ચળકતા લાલ મૃદપાત્રો તેની વિશિષ્ટતા દર્શાવે છે. અહીંનો સમયગાળો ઈ.સ.પૂ. 1700 થી 1400નો મનાય છે. હાલ આ સ્થળ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે.

રોજડી (શ્રીનાથગઢ)

આ સ્થળ રાજકોટના ગોંડલ નજીક ભાદરના કિનારે આવેલું છે. અહીંના મુખ્ય પૃપાત્ર લાલ અને ભૂરા હતાં. અહીંથી સપાટ થાળી, ઊંચી ડોકવાળી બરણી, તાંબાં કે કાંસાની સપાટ વીંઘણો, બાણ –કળા, માછલાં પડવાની ગલ,બે તોલાં, સેલખડીનાં ઝીણાં મણકાના અવશેષ મળી આવ્યા. આ સંસ્કૃતિનો પ્રારંલ ઇ.સ .પૂ. 1900 અને અંત ઈ.સ.પૂ. 1600માં થયો હોવાનું મનાય છે.

QNA

1.