ગુજરાત સરકાર દ્રારા ખેલાડીઓ (રમતવીરો), ગુજરાતી સહિત્ય, વિજ્ઞાન અને અન્ય ક્ષેત્રોમાંં ઉત્તીર્ણ થયેલ હોય તેમને ગુજરત સરકાર દ્રારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. જેવા કે રમતગમતના અવૉર્ડ ક્ષેત્રે એકલવ્ય અવૉર્ડ, સરદાર વલ્લભભાઈ પટેલ અવૉર્ડ, જયદીપસિંહજી અવૉર્ડ એવોર્ડ અપાય છે. તે ઉપરાંત રોકડ રકમમાં પણ એવોર્ડ સ્વરુપે આપવામાં આવે છે. જેવા કે ગુજરાત સરકારના એક લાખ રૂપિયાના અવૉર્ડ આપવામાં આવે છે.વિજ્ઞાન ક્ષેત્રે શ્રી વિક્રમ સારાભાઈ અવૉર્ડ, શિક્ષણ ક્ષેત્રે શ્રી મગનભાઈ દેસાઈ અવૉર્ડ, લોકકલા ક્ષેત્રે શ્રી ઝવેરચંદ મેઘાણી અવૉર્ડ, રમતગમત ક્ષેત્રે શ્રી અંબુભાઈ પુરાણી અવૉર્ડ, રંગમંચલક્ષી કલા ક્ષેત્રે પંડિત ઓમકારનાથ ઠાકુર અવૉર્ડ, લલિતકલા ક્ષેત્રે શ્રી રવિશંકર રાવળ અવૉર્ડ, સાહિત્ય ક્ષેત્રે આધ કવિ નરસિંહ મહેતા એવોર્ડ, તદ ઉપરાંત વિશ્વગુર્જરી અવૉર્ડ, જયભિખ્ખું અવૉર્ડ, ગુજરાત સંગીત, નૃત્ય, નાટ્ય અકાદમી અવૉર્ડ, ગુજરાત સાહિત્ય અકાદમી” અવૉર્ડ અને રણજિતરામ સુવર્ણચંદ્રક અપાય છે.
રમતગમતના અવૉર્ડ
ગુજરાત સરકાર રાજ્યના રમતવીરો અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે નીચે પ્રમાણેના અવૉર્ડ્સથી સન્માનિત કરે છે.
અવૉર્ડનું નામ | ક્ષેત્ર |
---|---|
એકલવ્ય અવૉર્ડ | ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે |
સરદાર વલ્લભભાઈ પટેલ અવૉર્ડ | ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે |
જયદીપસિંહજી અવૉર્ડ | ગુજરાતનો ખેલાડી રાજ્યકક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે આ અવૉર્ડ્ઝ પેટે નક્કી કરેલી રોકડ રકમ પણ આપવામાં આવે છે. |
ગુજરાત સરકારના એક લાખ રૂપિયાના અવૉર્ડ
ક્ષેત્ર | અવૉર્ડનું નામ |
---|---|
વિજ્ઞાન | વિક્રમ સારાભાઈ અવૉર્ડ |
શિક્ષણ | મગનભાઈ દેસાઈ અવૉર્ડ |
લોકકલા | ઝવેરચંદ મેઘાણી અવૉર્ડ |
લરમતગમત | અંબુભાઈ પુરાણી અવૉર્ડ |
લરંગમંચલક્ષી કલા | પંડિત ઓમકારનાથ ઠાકુર અવૉર્ડ |
લલિતકલા | રવિશંકર રાવળ અવૉર્ડ |
સાહિત્ય | આધ કવિ નરસિંહ મહેતા એવોર્ડ |
વિશ્વગુર્જરી અવૉર્ડ
- ગુજરાત અવૉર્ડ: ગુજરાતમાં વસતા ગુજરાતીઓ માટે
- રાષ્ટ્રીય અવૉર્ડઃ ગુજરાત બહાર પરંતુ ભારતના કોઈ પણ રાજ્યમાં વસતા ગુજરાતીઓ માટે
- આંતરરાષ્ટ્રીય અવૉર્ડ: ભારત બહાર વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે